Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

સિદસરમાં ઉમિયા માતાજીના સાનિધ્યમાં ૧૧ કુંડી મહાયજ્ઞઃ ભાવિકો ઉમટયા

જુનાગઢઃ કડવા પાટીદાર સમાજના આસ્થા અને ભકિતનાં કેન્દ્ર સમા ઉમિયા માતાજીના મંદિર સિદસરમાં આજે માતાજીના ૧ર૧ માં પ્રાગટય દિન નિમિતે ૧૧ કુંડી મહાયજ્ઞનું આયોજન કરાવમાં આવ્યું હતું. જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(3:24 pm IST)