Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

અમરેલી, બાબરા અને સાવરકુંડલા તાલુકા પંચાયત મતદાર મંડળની પેટા ચૂંટણીનો કાર્યક્રમ

અમરેલી તા. ૧૪ :  રાજય ચૂંટણી આયોગ- ગાંધીનગર દ્વારા અમરેલી તાલુકા પંચાયતના મોટા આંકડીયા, નાના આંકડીયા, ગાવડકા, જસવંતગઢ, પ્રતાપપરા, વડેરા તેમજ બાબરા તાલુકા પંચાયતના ઉંટવડ, સાવરકુંડલા તાલુકા પંચાયતના ઘંાણલા મતદાર મંડળની પેટા ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે. આથી આ ચૂંટણીમાં ઉમેદવારો અને રાજકીય પક્ષેા માટે આદર્શ આચારસંહિતા અમલી બની છે.

ચૂંટણી કાર્યક્રમ મુજબ તા. ૧૭ સપ્ટેમ્બર ર૦૧૮ ના રોજ ચૂંટણીની નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવશે. તા. રર સપ્ટેમ્બર-ર૦૧૮ સુધી ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવશે. તા. ર૪ સપ્ટેમ્બર ર૦૧૮ ના રોજ ઉમેદવારીપત્રેાની ચકાસણી કરવામાં આવશે. તા. રપ સપ્ટેમ્બર-ર૦૧૮ ના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. તા. ૭  ઓકટોબર-ર૦૧૮ ને રવિવારના રોજ સવારે ૮ વાગ્યાથી સાંજે પ વાગ્યા સુધી મતદાન થશે. પુનઃમતદાન યોજવાનું થાય તો તે તા. ૮ ઓકટોબર-ર૦૧૮ ના રોજ યોજવામાં આવશે. તા. ૯ ઓકટોબર-ર૦૧૮ ના રોજ મતગણતરી કરવામાં આવશે.

સંબંધિત આદેશો ચૂંટણી પંચની વેબસાઇટ sec.gujarat.gov.in પર મૂકવામાં આવ્યા છે. તાલુકા   પંચાયતની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી હેઠળ તા. ૧૦ સપ્ટે.ર૦૧૮ ના રોજ ચૂંટણીઓની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલમાં આવે છે. ઉમેદવારે ઉમેદવારી પત્ર સાથે પોતાનો ગુન્હાહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલકત-દેવા બાબતનું સોગંદનામું ચૂંટણી અધિકારીશ્રી સમક્ષ રજૂ કરવાનું રહેશે.

મતદાન સમયે મતદારે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ EPIC રજૂ કરવાનું રહેશે. પરંતુ વ્યાજબી કારણોસર રજૂ કરી શકે તેમ ન હોય તો સંબંધિત મતદારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે મતદાર, રાજય ચૂંટણી આયોગ દ્વારા નિયત કરવામાં આવેલ જુદાં-જુદાં ફોટોવાળા દસ્તાવેજો પૈકી કોઇ એક દસ્તાવેજ રજૂ કરી શકશે. લોકશાહીને વધુ મજબૂત કરવા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

સ્થાનિક સ્વરાજયની  ચૂંટણી મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજવામાં આવે તે માટે રાષ્ટ્રીય -સંવૈધાનિક કામમાં સંપૂર્ણ સહકાર આપવાનો રહેશે.

કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને મતદારો નિર્ભય રીતે મતદાન કરી શકે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ચૂંટણી એવીએમ દ્વારા કરવામાં આવશે, નોટાનો અમલ પણ કરવામાં આવશે.

રાજય ચૂંટણી આયોગ કાર્યાલયમાં કંટ્રોલરૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેના ટેલિફોન નં. (૦૭૯) ર૩રપર૦૭ર, ર૩રપર૦૭૩, ર૩રપ૮૭૦૬ ફેકસ નં. (૦૭૯) ર૩રપર૩૦૭, ર૩રપર૮૮પ, ર૩રપ૮૭૦પ છે. આ ઉપરાંત ઇ-મેઇલ sec.gujarat.gov.in  છે.

રાજય ચૂંટણી આયોગ-ગાંધીનગરના સચિવશ્રી મહેશ જોષી અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એ.બી. પાંડોરના આદેશ મુજબ ચૂંટણી હેઠળના વિસ્તારોમાં ચૂંટણી કામગીરી સંબંધિત અધિકારી-કર્મચારીઓને આચારસંહિતા સંબંધિત નિયમો-જોગવાઇઓ લાગુ પડશે તેમ યાદીમાં જણાવાયું છે. (૧૧.૩)

(12:38 pm IST)