Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

રાજુલાના આગરીયામાં વીજથાંભલા ઉપર કામ કરતા જાફરાબાદના મિતીયાળાના યુવાનનું શોક લાગતા મોત

વીજબોર્ડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા:પોલીસ તપાસ શરુ

 

અમરેલી જીલ્લાના રાજુલાના આગરીયા ગામે વીજ શોક લાગતા એક વ્યક્તિનું મોત થયું હતું. વિદ્યુતબોર્ડનો મજૂર વીજપોલ પર કામ કરી રહ્યો હતો. તે દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. ૨૦ વર્ષિય જાફરાબાદના મિતિયાળાના યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું. ઘટનાની જાણ થતા વીજબોર્ડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. રાજુલા પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી હતી.

(10:31 pm IST)