Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

ભાવનગરના વલભીપુર નજીક ગોઝારો અકસ્માત :એક જ પરિવારના ત્રણના કરૂણ મોત

અમરેલીનો આહીર પરિવાર કાર લઈને સુરતથી અમરેલી વતન તરફ જતો હતો

( વિપુલ હિરાણી દ્વારા )  ભાવનગર : ભાવનગર જિલ્લાના વલભીપુર નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના ત્રણના કરૂણ મોત નિપજ્યા છે.
આ અકસ્માતની મળતી વિગતો મુજબ વલ્લભીપુર -રાજકોટ હાઇવે પર વલભીપુર પાસે કાર અને ટ્રક વચ્ચે   અકસ્માત  સર્જાતા ત્રણના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજયા હતા. જ્યારે એકને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડેલ છે .અમરેલીનો આહીર પરિવાર 

કાર લઈને સુરતથી અમરેલી વતન તરફ જતો હતો . ત્યારે વલભીપુર નજીક પઆ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણના મોત નિપજ્યા છે.જેમાં જીલુભાઈ બાબલુંભાઈ ભૂવા ઉં.વ ૪૦ ગીતાબેન જીલુભાઇ ભૂવા ઉ.વ. ૩૮ અને શિવમ જીલુભાઈ ભૂવા ઉ.વ. ૧૫ નો સમાવેશ થાય છે. જ્યારે શુભમ સમતભાઇ ભૂવા ઉ.વ. ૧૭ ને ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલ છે. આ બનાવની જાણ થતાં વલભીપુર પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

(5:33 pm IST)