Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

ભાવનગર માં ૨૪ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : ૩૭ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા ૨,૦૩૮ કેસો પૈકી ૪૧૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામા આજરોજ ૨૪ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨,૦૩૮ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૦ પુરૂષ અને ૮ સ્ત્રી મળી કુલ ૧૮ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ગારીયાધાર તાલુકાના ટીંબા ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના વાળુકડ(ઘો) ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧, પાલીતાણા તાલુકાના ઠાડચ ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના વડીયા ગામ ખાતે ૧ તેમજ ઉમરાળા તાલુકાના ધારૂકા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૬ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
            જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૪ અને તાલુકાઓના ૧૩ એમ કુલ ૩૭ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
           આમ જિલ્લામા નોંધાયેલા ૨,૦૩૮ કેસ પૈકી હાલ ૪૧૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧,૫૭૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૩૪ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(7:05 pm IST)