Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

પર્યુષણ પર્વ નિમિત્તે કતલખાના બંધ રાખવા અનુરોધ

જામનગર, તા. ૧૭ : શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સચિવાલય ગાંધીનગરના આદેશ મુજબ આજે ૧પ થી રર ઓગસ્ટ સુધીના દિવસોએ જૈનોના પવિત્ર પર્યુષણ નિમિતે કતલખાના બંધ રાખવા અનુરોધ કરવામાં આવેલ છે.  જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં આવતા કતલખાના બંધ રાખવા તથા આ દિવસો દરમ્યાન પશુઓની કતલ ન કરવા જામનગર  મહાનગર પાલિકાના નાયબ કમિશનરશ્રીએ જણાવ્યું છે.

(2:03 pm IST)