Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

જામનગરમાં મધરાત્રે ભૂકંપનો આંચકો : રાત્રે 12 .10 કલાકે ૨.૧ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો : કેન્દ્ર બિંદુ જામનગર થી ૨૩ કિલોમીટર દૂર

જામનગર શહેર અને જીલ્લાના કેટલાય વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકાઓ અવારનવાર લોકો અનુભવ કરતા હોય છે, ત્યારે ફરી એક વખત ગત મોડી રાત્રે જામનગરમાં ભુકંપનો આંચકો આવ્યો હોવાનું સતાવાર વેબસાઈટ પર જોવા મળે છે, જે રીતે વેબસાઈટ પર જોવા મળી રહ્યું છે તે મુજબ રિકટર સ્કેલ પર 2.1 ની તીવ્રતાનો આંચકો 12:10 કલાકે નોંધાયો છે, અને ભુકંપ નું કેન્દ્રબિંદુ જામનગર થી 23 કિમી દુર હોવાનું જાણવા મળે છે.

(1:24 pm IST)