Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

સુરેન્દ્રનગર જિલ્લાનો ગોદાવરીનો પુલ ધોવાયો

તાત્કાલિક સારવાર માટે પણ ગામ લોકોને વલખાઃ આ પુલ રિપેરિંગ થતા ૧૫ દિવસ થશે...

વઢવાણ, તા.૧૪:સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ના પગલે અનેક રોડ અને નાળાઓ તણાયા છે.ત્યારે સરકાર એ  કરોડો રૂપિયાના બનવેલા કોજવે પાણીમાં તણાયા છે.ત્યારે જિલ્લા ના ગોદાવરી પાસે આવેલ પુલ પાણીમાં તણાયો છે.

જિલ્લાનું આ ગામ પાંચ દિવસ થી સંપર્ક વિહોણુ બન્યું છે. ઉપસરપંચ જણાવે છે.કે આ ગામ ની નદી માં હજુ એક સપ્તાહ પાણી ઉતરે તેમ નથી જેના કારણે પાસ થયેલ સમારકામ એક સપ્તાહ બાદ  હાથ ધરવામાં આવશે. આ ગામ ના લોકો ને તાત્કાલિક સારવાર અને છેલ્લા પાંચ દિવસ થી પુલ ના ધોવાણ બાદ લોકો સંપર્ક વિહોણા બન્યા છે.

(1:22 pm IST)