Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ગુરૂવારે સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન ઉપર પ૯ લાખના ખર્ચે લીફટની સુવિધા ખુલ્લી મુકશે સાંસદ દેવજી ફતેપરા

રાજકોટ, તા., ૧૪: સ્વતંંત્રતા પર્વના બીજા દિવસે સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૧ ઉપર ભાજપના સંસદસભ્ય દેવજીભાઇ ફતેપરાના હસ્તે લીફટનું લોકાર્પણ થશે. પ૮.૬૪ લાખના ખર્ચે બનેલી આ લીફટ  એક સાથે ર૦ લોકોનું વહન કરી શકશે. સિનીયર સીટીઝન મહિલાઓ અને દિવ્યાંગ લોકો માટે આ લીફટનું ખાસ કરીને ઉપયોગ થશે. સાથોસાથ પ્લેટફોર્મ નં. ૧ ઉપરથી ર ઉપર જવા માટે મુસાફરોને આ લીફટ શરૂ થતા સરળતા રહેશે. આ અવસરે ડીવીઝનલ રેલ્વે મેનેજર પી.બી.નિનાવે સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પ્રતિષ્ઠીત નાગરીકો ઉપસ્થિત રહેશે. તા.૧૬ ઓગષ્ટના બપોરે ૧ર વાગ્યે લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો છે. (૪.૯)

(3:56 pm IST)