Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

પૂ. ધીરગુરૂદેવની શુભનિશ્રામાં રાજકોટના મોનાલીબેનની રવિવારે દિક્ષા આજ્ઞા અર્પણવિધિ

 રાજકોટઃ તા.૧૪, ગોંડલ સંપ્રદાયના પુણ્યપ્રતાપી જૈનાચાર્ય પૂ.શ્રી જશાજી સ્વામી શતાબ્દી અનુમોદનાર્થે શાસનરત્ના પૂ. નર્મદ-વિનય ગુરૂણીના સાંનિધ્યે જ્ઞાનાભ્યાસ કરતા વડાલ નિવાસી હાલ રાજકોટ શ્રીમતી કિરણબેન અને દીલીપભાઇ મોહનલાલ સંઘવીના સુપુત્રી કુ. મોનાલીબહેન સંઘવીની દીક્ષા આજ્ઞા અર્પણ વિધિ તા.૧૯ને રવિવારે સવારે ૯:૩૦ થી ૧૨ કલાકે વિલેપાર્લેમાં શ્રીમતી માલીનીબહેન કિશોરભાઇ સંઘવી પ્રેરીત ઉપકરણ વંદનાવલી શિબિર પ્રવચન મધ્યે યોજાયેલ છે. આ પ્રસંગે શશીકાંતભાઇ બદાણી, મુકેશભાઇ કામદાર, અમીશાબહેન વોરા, જયશ્રીબહેન શાહ વગેરે ઉપસ્થિત રહેશે.

(12:59 pm IST)