Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

જામકંડોરણા પુષ્ટિ સંસ્કારધામમાં ગોવિંદ ગૌશાળા ઉદ્દઘાટન

જામકંડોરણાઃ કાલાવડ રોડ ઉપર બોરીયા ગામે આવેલ શ્રીમદ્દ વલ્લભશ્રી વિઠલ પુષ્ટિ સંસ્કાર ધામમાં નિર્માણ કરવામાં આવેલ શ્રી ગોવિંદ ગૌશાળાનું ઉદ્દઘાટન યુવા વૈષ્ણવાચાર્ય પ.પુ.પા.ગો. ૧૦૮ શ્રી જયવલ્લભલાલજી મહોદયશ્રીના કરકમલો દ્વારા ગૌપુજન કરી કરવામાં આવેલ આ પ્રસંગે રાજકોટના યુવા વૈષ્ણવાચાર્ય પુ.ગો. ૧૦૮ શ્રી રૂચિકુમારજી તેમજ આજુબાજુના ગામોમાંથી વૈષ્ણવોએ હાજરી આપી હતી આ પ્રસંગે વૈષ્ણવોએ વચનામૃતનો લાભ લીધો હતો. ઉદ્દઘાટનની તસ્વીરો. (તસ્વીર મનસુખ બાલધા જામકંડોરણા)

 

(12:44 pm IST)