Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

કચ્છના આદિપુરમાં વ્યાજખોરોનો આતંકઃ સિંધી વેપારીનું અપહરણ કરીને માર મારીને ફેકી દીધો

ભુજ તા. ૧૪ : આદિપુરમાં પોતાની માતા સાથે જઇ રહેલા કાપડના વ્યાપારી દિપક ખટવાની નામના સિંધી વ્યાપારીની કાર ઉપર ત્રણ થી ચાર શખ્સો એ હુમલો કર્યો હતો. કાર માં તોડફોડ કરી આ શખ્સો દિપક ખટવાનીનું અપહરણ કરી ગયા હતા. ભદ્રેશ્વર રોડ પર લઈ જઈ મરણતોલ મારમારીને ફેંકી દીધો હતો. દરમ્યાન વ્યાપારીની માતાએ પોલીસને જાણ કરી હતી.  જોકે, અજાણ્યા ફોન દ્વારા પોલીસને આ વ્યાપારી ઇજાગ્રસ્ત હાલતમાં છે એવી જાણકારી મળતા તેને હોસ્પિટલ માં દાખલ કરાયો હતો. જોકે, અપહરણ ની આ ઘટનાને વ્યાજખોરો દ્વારા અંજામ અપાયો હતો,પણ વ્યાપારીએ અત્યારસુધી પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે. આથી અગાઉ પણ દિપક નું પૈસા માટે વ્યજખોરોએ અપહરણ કરી માર માર્યો હતો.

(11:52 am IST)