Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

જૂનાગઢમાં વિશ્વ અંગ દિવસની ઉજવણી :જાગૃતિ માટે મુખ્યમાર્ગોમાં રેલી યોજાઈ

જૂનાગઢમાં વિશ્વ અંગ દિવસની સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા ઉજવણી કરાઈ હતી,મનુષ્યના મૃત્યુ પછી તેના અંગોનું અન્ય  મનુષ્યના શરીરમાં પ્રત્યારોપણથી અન્યને નવજીવન મળે છે તે સમજાવતા બોર્ડ અને નારા સાથે જૂનાગઢના મુખ્ય માર્ગો ઉપરથી રેલી કાઢવામાં આવી હતી

    ડૉ શૈલેષ જાદવે જણાવ્યું  હતું કે મૃત્ય પછી આંખનું આપણે દાન કરીએ છીએ પણ વધતા જતા માર્ગ અકસ્માત અને બદાયેલા જીવન શૈલીને કારણે હવે  કિડની, લીવર અને હૃદય જેવા મહત્વના અંગોનું દાન મહાદાન લેખાશે તમારું એક અંગ અન્ય વ્યક્તિના જીવનમાં નવા ઉજાસનો સંચાર કરશે તેવી જાગૃતિ સાથે આજે વર્લ્ડ ઓર્ગન ડેની ઉજવણી કરવામાં આવી હતી

(9:41 pm IST)