Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

જુનાગઢમાં મૃતક પોલીસ કર્મીઓને શ્રધ્ધાંજલી અર્પીત

સીઆઇડી આઈ.બી.મા ગાંધીનગર ખાતે ફરજ બજાવતા પો.ઇન્સ. એમ.એ.બેહલીમ તેમજ સુરત શહેર પોલીસ દળમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એ.એસ.આઈ. રાજેન્દ્રભાઈ રતનભાઈ વાઘનું કોવિડ ૧૯ સંક્રમણના કારણે અવસાન થયેલ હતા. જેથી, સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સના આત્માની શાંતિ માટે  તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ, તેઓ જે સ્થળે હોય, તે સ્થળે બે મિનિટ મૌન પાળવાના ભાગરૂપે જૂનાગઢ ડીવાયએસપી કચેરી ખાતે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, એએસઆઇ સંજયભાઈ ગઢવી, હે.કો ઝવેરગીરી, અશોકભાઈ, કમાન્ડો ભગાભાઈ, સહિતના અધિકારીઓ તથા ડિવિઝનના તમામ સ્ટાફ તેમજ ટ્રાફિક શાખાના સ્ટાફ તથા ટીઆરપી જવાનો સાથે બે મિનિટ મૌન પાડી, સદગતના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃમુકેશ વાઘેલા જુનાગઢ)

(12:56 pm IST)