Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ગોંડલના દાળીયા ગામે એઠવાડ પ્રશ્ને કમલેશ સોલંકી ઉપર પાઇપથી હુમલો

શાંતાબેન સોલંકી અને તેના પુત્રો કાર્તિક તથા હિતેષ સામે પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા. ૧૪ : ગોંડલના દાળીયા ગામે ઘર પાસે એઠવાડ નાંખવા પ્રશ્ને યુવાન ઉપર મહિલા અને તેના બે પુત્રોએ પાઇપથી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના દાળીયા ગામે રહેતા કમલેશભાઇ નરોતમભાઇ સોલંકીના ઘર પાસે બાજુમાં રહેતા શાંતાબેન વિઠ્ઠલભાઇ સોલંકીએ એઠવાડ નાંખતા કમલેશભાઇ તથા તેના પત્ની શાંતાબેનને સમજાવવા જતાં શાંતાબેન ગાળો આપવા લાગેલ અને તે દરમ્યાન શાંતાબેનના પુત્રો કાર્તિક તથા હિતેષ આવી જતાં બન્નેએ કમલેશભાઇને ગાળો આપી ઢીપાટુકાનો માર માર્યો હતો. તેમજ હિતેષે ઘરમાંથી લોખંડનો પાઇપ લાવી કમલેશભાઇના માથામાં મારી ઇજા કરી હતી. આ અંગે કમલેશભાઇએ ઉકત ત્રણેય સામે ફરીયાદ કરતા ગોંડલ તાલુકા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:47 am IST)