Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

પોરબંદરમાં લોકડાઉનને કારણે મજૂરી ન મળતા ત્રાસીને યુવાનનો આપઘાત

ભીખુભાઇ રામાભાઇ વાજાએ ઝેરી દવા પી લઇને જીંદગી ટૂંકાવી

પોરબંદર તા. ૧૪ :.. લોકડાઉનની શરૂઆત થયેલ ત્યારથી મજૂરી કામ ન મળતા તેમજ લોકડાઉનમાં કેટલીક છૂટછાટ બાદ પણ કામ ન મળતા બેકાર બનેલા ભીખુભાઇ રામાભાઇ વાજાએ ઝેરી દવા પી લઇને આપઘાત કરી લીધો હતો.

શહેરના જાવર વિસ્તારમાં રહેતા ભીખુભાઇ રામાભાઇ વાજા (ઉ.૪પ) ને લોકડાઉનના પ્રથમ તબકકાથી મજૂરી કામ મળવાનું બંધ થઇ ગયેલ અને ત્યારબાદ  લોકડાઉનમાં સરકાર દ્વારા કેટલીક છૂટછાટ દરમિયાન પણ કામ ન મળતા બેકાર બની જતાં તેમણે પ્રાથમિક શાળાના મેદાનમાં જઇને ઝેરી દવા પી લઇને આપઘાત કરી લીધો હતો.

આ બનાવની તપાસ હાર્બર મરીન પીએસઆઇ આર. જી. વાઢા ચલાવી રહેલ છે.

(11:41 am IST)