Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

મોરબી પરિણીતા આપઘાત કેસમાં પતિ સહિતના ચાર સામે ફરિયાદ

મરવા માટે મજબુર કર્યાની પોલીસ ફરિયાદ

મોરબી :  મોરબીના જાંબુડિયા નજીક પરિણીતાએ આપઘાત કર્યો હતો જે બનાવ અંગે પતિ સહિતના ચાર સાસરીયાઓએ પરિણીતાને મરવા મજબુર કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જાંબુડિયા નજીક આવેલ લેટીના સિરામિક ફેકટરીમાં અનિતાબેન સુનીલભાઈ બીલવાલ (ઉ.વ.૨૦) નામની પરિણીતાએ આપઘાત કર્યો હતો જે બનાવ અંગે મૃતકના પિતા પારૂ બુચા મોરી આદિવાસીએ તાલુકા પોલીસમાં તેની દીકરીને મરવા મજબુર કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી પતિ સુનીલ બધીયાભાઈ બીલવાલ, જેઠ મનીષભાઈ, જેઠાણી મંજુબેન તેમજ દિયર ઇલ્યાસભાઈ એ બધાએ ફરિયાદીની દીકરી અનીતાના ચારિત્ર્ય પર શંકા કરી તેમજ તને કાઈ કામ આવડતું નથી કહીને મ્હેણાં ટોણા મારી માનસિક તેમજ શારીરિક ત્રાસ ગુજારી મરવા માટે મજબુર કરતા તેને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(1:21 pm IST)