Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

તોરણીયા ધામે અષાઢી બીજ

 ધોરાજીઃ અષાઢી બીજ નિમિતે આજે વહેલી સવારથી તોરણીયા નકલંકધામ ખાતે સંતશ્રી સેવાદાસ બાપા આશ્રમે ધર્મભુષણ સંતશ્રી રાજેન્દ્રદાસ બાપુના હસ્તે લોકમેળો ખુલ્લો મુકવામાં આવેલ અને સવારે ૯ કલાકે ઢોલ નગારા અને વૈદીક મંત્રોચ્ચાર સાથે હજારો ભકતજનોની હાજરીમાં ધ્વજા આરોહણ કરાઇ હતી અને બપોર મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો જેમાં હજારો ભકતજનોએ મહાપ્રસાદ લીધો હતો અને ભકતોએ પૂ. રાજેન્દ્રદાસ બાપુના આર્શીવચન લીધા અને મંદિરને બીજ નીમીતે શણગાર કરવામાં આવેલ અને હજારો ભકતોએ ધર્મ લાભ લીધો હતો. (૪.૫)

 

(2:54 pm IST)