Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ગિરનાર પર્વત પર અનરાધાર વરસાદથી આહલાદક સૌંદર્ય :નદી નાળા છલકાયા

પર્વત પર નવ ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી :લોકો પહોંચ્યા ભવનાથ વિસ્તારમાં

જૂનાગઢ :છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદથી ગીરનાર પર્વત ઉપર 9 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. જેના કારણે ગીરનારથી આવતા પાણીને લીધે જટાશંકર જેવા વિસ્તારોમાં પાણીની સારી આવક થઇ છે. તેમજ નદી નાળા છલકાઈ ગયા છે. ગીરનાર પર્વત ઉપર અનરાધાર 9 ઇંચ વરસાદ પડી જતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે. તેમજ શહેરમાં 7 ઇંચ વરસાદ પડી ગયો છે. જેને લીધે દામોદર કુંડ અને સોનરખ નદીમાં ધોડાપુર આવ્યા હતા. લોકો વરસાદમાં નાહવા ભવનાથ વિસ્તારમાં પહોચી ગયા હતા અને મન ભરી મજા માણી હતી.

 

(1:38 pm IST)