Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

જેતપુરના ભાવિકો અમરનાથના દર્શન કરી પરત

જેતપુર : બાબા અમરનાથના દર્શન કરવા જેતપુરના દુલ્હન પ્રિન્ટવાળા પ્રવિણભાઇ ગોંડલીયા તેમના પત્ની ભાનુબેન સહિત કુલ ૨૧ લોકો ગયેલ. તેઓ દર્શન માટેની ટુંકડીમાં હતા. તેમને બાબાના દર્શન થઇ જતા તમામ લોકો પરત ફરેલ. પ્રવિણભાઇએ તેમનો અનુભવ જણાવેલ કે, અમો જયારે યાત્રા શરૂ કરેલ ત્યારે અમોને દરેક લોકોની વાતો સાંભળેલ કે ત્યાં ત્રાસવાદી હુમલો કરે છે પરંતુ બાબા અમરનાથ ઉપર શ્રધ્ધા હોય, અમો તમામ લોકોએ યાત્રાની શરૂઆત કરેલ પરંતુ ભારે વરસાદ પડતા ત્રણ દિવસ સુધી કેમ્પમાં અમોને પરત બોલાવી લીધેલ ત્યા પણ એકદમ સારી સગવડ મળેલ અને ફરી યાત્રા શરૂ કરેલ હતી. અમરનાથના દર્શન કરી પરત આવેલા ભાવિકોની તસ્વીર. (તસ્વીર : કેતન ઓઝા, જેતપુર)

(11:31 am IST)