Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

જામજોધપુરમાં સાંઇરામ દવે પરિવાર દ્વારા અંજલી :

 જામજોધપુર : ઘુનડા ગામના સતપુરણધામ પ્રધાન સેવક તેમજ સદગુરૂ જેન્તીરામબાપાના પુત્ર ભાવેશભાઇ શીલુ (ઉ.૪૧)નું અવસાન થતા તેમને હાસ્ય સમ્રાટ સાંઇરામદવે અને તેમના પિતા વિષ્ણુપ્રસાદજી દ્વારા હાલની કોરોનાની પરિસ્થિતીને ધ્યાને લઇ વર્ચ્યુઅલ શ્રધ્ધાસુમન અર્પણ કરેલ અને સાંઇરામ દવે દ્વારા જણાવેલ કે શાસ્ત્રી ભાવેશભાઇના આત્માને સદગુરૂ પોતાના ચરણોમાં સદાય વાસ આપે.

(11:47 am IST)