Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

જામનગરમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલ યુવકે ઝેરી દવા પી લેતા મોત પરિવારે લાશ સ્વીકારવા કર્યો ઇન્કાર

નોકરી કરી ગુજરાન ચલાવતા રવિ ભોજવાણીના પરિવારે પહેલી તરીકે પોલીસ ફરિયાદ કરવા છતાં પગલાં નહિ લેવાયાનો આક્ષેપ

જામનગરમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલ 35 વર્ષીય સિંધી યુવાને ઝેરી દાવ પી લેતા મોત નીપજ્યું હતું પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરવા છતાં વ્યાજખોરોસ સામે પગલાં નહિ લેવાયાનો આક્ષેપ કરીને યુવકની લાશ સ્વીકારવા ઇન્કાર કર્યો છે

 આ અંગે મળતી વિગત મુજબ સાધના કોલોની વિશસ્તારમાં રહેતા રવિ નરેન્દ્રભાઈ ભોજવાણી નામના 35 વર્ષીય યુવક નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો જેણે ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું હતું

   જામનગરની જી,જી,હોસ્પિટલમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો ઉમટી પડ્યા હતા અને મૃતકના પરિવારજનોએ લાશ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો જોકે જિલ્લા ;પોલીસ વડના સ્પેશિયલ બ્રાન્ચની સમજાવટ બાદ લાશ સ્વીકારવા હા પાડી હતી હેતા

(9:08 pm IST)