Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

સોમનાથના શંખ સર્કલ પાસે હાડીવાસમાં સાફ સફાઇ ન કરાતા ગંદકીનાં ગંજ

ટાવર ચોકથી રામભરોસા રોડ ઉપર મોટા ખાડા

વેરાવળ, તા.૧૪: સોમનાથ પ્રભાસપાટણ શંખ સર્કલ પાસે આવેલ હાડીવાસ વિસ્તારમાં કોઈપણ જાતની સાફ સફાઈ થતી ન હોય જેથી નકારગાર થયેલછે અને રોગાચાળો ભય ફેલાયેલ છે

હાડીવાસ વિસ્તારમાં ર૦૦ થી વધારે અતિ નબળા પરીવારો રહે છે તે વિસ્તારમાં ગટરોમાં ખુબજ ગંદકીથી ગટરો ભરાય ગયેલ છે કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી તેથી રાત્રે મચ્છરોને કારણે નબળા સમાજના ભાઈઓ બહેનો બાળકો વડીલો સુઈ પણ શકતા નથી નકાગાર બનેલ હાડીવાસ વિસ્તારમાં તાત્કાલીક સાફ સફાઈ થાય તે માટે માંગ કરવામાં આવેલ છે.

ટાવર ચોકથી રામભરોસા જતા રોડ ઉપર પાણીની ટાકી પાસે ચાર રોડ ભેગા થાઈ છે ત્યાં મુખ્યરોડ ઉપર મોટા મોટા ખાડાઓ વરસાદ પહેલા પડી ગયેલ છે આ વિસ્તારમાંથી દરરોજ હજારો વાહન ચાલકો પસાર થાય છે તેમજ શાક માર્કેટ હોય જેથી શહેરીજનો પણ મોટી સંખ્યામાં શાકભાજી લેવા આવતા હોય છે વરસાદ પહેલા આ મોટા મોટા ખાડાઓ પડી જતા ભારે રોષ ફેલાયેલ છે જેથી તાત્કાલીક કામગીરી કરવા માંગ ઉઠી છે.

(11:47 am IST)