Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

સોમનાથમાં મંદિરોમાં અન્નકુટ મનોરથ... ધર્મલાભ લઇ ભાવિકો ધન્ય

પ્રભાસપાટણઃ અહીંયા જયેષ્ઠ અધિક પુરૂષોતમ માસ નિમિત્તે અન્નકુટ (છપ્પનભોગ) સોમનાથ ટ્રસ્ટના શ્રી રામંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રી ગૌલોકધામ તિર્થમા આવેલ ગીતા મંદિર તથા લક્ષ્મીનારાયણ મંદિરે યોજાયા હતાં. જેમાં દર્શનનો લ્હવો લઇ અસંખ્ય ભકતો ધન્ય બન્યા હતાં. અત્રે નોંધનીય છે કે કથાકાર જસ્મીશનભાઇ દવેના વ્યાસાસને પુરૂષોતમ માસ નિમિતે ભાલકા તિર્થમાં યોજાયેલ કથાના પૂર્ણાહુતિ પ્રસંગે ટ્રસ્ટના જનરલ મેનેજર સહિત અધિકારીઓ દ્વારા પોથીજીની આરતી ઉતારાયા બાદ કથાકાનું શાલ ઓઢાડી સન્માન પણ કરાયું હતું. (તસ્વીર દેવાભાઇ રાઠોડ-પ્રભાસપાટણ)

(11:33 am IST)