Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

અમરેલી જીલ્લામાં વધુ ૩૩ના મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.,૧૪: જીલ્લાના અમરેલી, સાવરકુંડલા અને રાજુલામાં કોરોનાના૧૨ દર્દીઓ અને ર૧ અન્ય મળી કુલ ૩૩ લોકોના એક જ દિવસમાં મૃત્યુ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમરેલીના ગાયત્રી મોક્ષધામમાં જાફરાબાદના ૬પ વર્ષના મહીલા ધારીના ગીગાસણના ૬પ વર્ષના પુરૂષ, અમરેલી ગુરૂકૃપાનગરના ૭૩ વર્ષના મહિલા તથા અન્ય સાત મળી ૧૦ ની અંતીમવીધી થઇ હતી.

રાજય સરકારના હેલ્થ બુલેટીનમાં અમરેલી જીલ્લાની અંદર ર૯૮ કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે અને ત્રણના મૃત્યુ થયા છે. જયારે ૧૫૬ દર્દીઓ સાજા થયા છે તેમ જણાવાયું છે. અમરેલી જીલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યાનુસાર જીલ્લામાં કોવીડ-૧૯માં ૯ર કેસ આવ્યા છે. ૮૧ સાજા થયા છે. ૧૩૯૧ સારવાર લઇ રહયા છે અને ત્રણ મૃત્યુ થયા છે. જેમાં ધારીમાં ૧૪ વર્ષની કિશોરી, બગસરામાં ૪૩ વર્ષની મહીલા અને ધારીની ૩૪ વર્ષની યુવતીનો સમાવેશ થાય છે. જીલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૬૭૮૩ થઇ છે.

(1:02 pm IST)