Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

મોરબી જિલ્લામાં કોરોનાના નવા ૫૨ કેસ : ૮૫ દર્દીઓ સ્વસ્થ અને એક મૃત્યુ

કોવીડ પ્રોટોકોલ મુજબ મોરબીમાં ૫ મૃતદેહના અંતિમ સંસ્કાર

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૪ : મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૫૨ કેસ નોંધાયા છે જીલ્લામાં વધુ ૮૫ દર્દીઓ સ્વસ્થ થયા છે જયારે સરકારી ચોપડે એક દર્દીનું મૃત્યુ દર્શાવ્યું છે જયારે કોવીડ પ્રોટોકોલ મુજબ ૦૫ મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા છે.

નવા કેસોમાં મોરબી તાલુકાના ૪૦ કેસ જેમાં ૨૧ ગ્રામ્ય અને ૧૯ ગ્રામ્ય પંથકમાં, વાંકાનેરનો ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં, હળવદ તાલુકાના ૦૩ કેસ, ટંકારા તાલુકાના ૦૫ કેસ અને માળિયા તાલુકાના ૦૩ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૫૨ કેસ નોંધાયા છે જીલ્લામાં ૮૫ દર્દીઓ સ્વસ્થ થયા છે અને સરકારી ચોપડે એક દર્દીનું મોત થયું છે.મોરબી જીલ્લામાં એકટીવ કેસનો આંક ૭૯૮ થયો છે. કોવીડ પ્રોટોકોલ મુજબ ૦૫ મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા હતા.

(1:00 pm IST)