Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

પાલીતાણામાં હોમ કોરોન્ટાઇનમાં રહેલા મહિલા તબીબ સર માનસિંહજી હોસ્પીટલે પહોંચી ગયા

પાલીતાણા તા.૧૪ : પાલીતાણા લિંબુવાડી વિસ્તારમાં રહેતા દંપતિનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતા ખળભળાટ મચી ગયો હતો ત્યારે ૬૧ વ્યકિતઓ તેઓના સંપર્કમાં આવ્યા હોય તેઓને તમામ પૈકી ર૪ને સરકારી કોરોન્ટાઇનમાં રાખેલ છે ત્યારે બાકીના હોમકોરોન્ટાઇન થયા છે તેમાં ડો. અમિતભાઇ શાહ જેઓએ તે બાધાબેન ચંદુભાઇ સોરઠીયાની તપાસ કરી હતી તેથી તેઓ હોમ કોરોન્ટાઇન થયા આરોગ્ય વિભાગ દ્વારા કોઇ સ્ટીકર મારવામાં ન આવ્યું!!!

તેમજ અમિતભાઇ શાહનો પરિવાર હોમકોરોન્ટાઇન કે પછી તેઓ એકજ ? તે અંગે આરોગ્ય વિભાગ દ્વારા કોઇ સુચના આપી કે નહી તે ખબર પડી નથી.

પરંતુ ડો. અમિતભાઇ શાહના પત્ની ડો. રૂપલબેન શાહ બાળકોના ડોકટર છે તેમજ સરકારી માનસિંહજી હોસ્પીટલ સેવા માનદ્દ આપે છે તેઓ ગઇકાલે સાંજે એકાએક હોસ્પીટલ પહોંચી ગયા ત્યાંની તબીબો સ્ટાફ કાંઇ વિચારે તે પહેલા ડે.કલેકટર, ચીફ ઓફીસર, આરોગ્ય વિભાગના અધિકારી પહોંચી ઘરે મોકલી દીધા તથા તેઓને હોમકોરોન્ટાઇનમાં રહેવાનું હતું.

(11:37 am IST)