Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ખંભાળીયા : હાલાર તિર્થ આરાધના ધામના મુનિરાજ હર્ષસેન વિજયજી મહારાજ કાળધર્મ પામ્યા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૪ : હાલાર તિર્થ આરાધનાધામ ખાતે ગઇકાલે સાંજે પ.પૂ. પન્યાસ પ્રવરશ્રી વ્રજસેન વિજયજી મહારાજના શિષ્ય રત્ન મુનિરાજ હર્ષસેન વિજયજી મહારાજ ઉ.૮૬ ગઇકાલે તા. ૧૩ના સાંજે પ-૧પ વાગ્યે આરાધના ધામ મુકામે કાળધર્મ પામ્યા હતાં.  જામનગર ઓશવાલ કોલોની જૈન સંઘ, જામનગર દિગ્વીજય પ્લોટ જૈન સંઘ, જામનગર કામદાર કોલોની જૈન સંઘ, શાંતિ ભુવન જૈન સંઘ, માંડવી કચ્છ જૈન સંઘ, ભુજ કચ્છ જૈન સંઘ, ખંભાળીયા જૈન સંઘ, જામજોધપુર જૈન સંઘ, ઉપલેટા જૈન સંઘ, પોરબંદર જૈન સંઘ, ધોરાજી તથા જામનગર, પોરબંદર, ખંભાળીયાના જૈન શ્રેષ્ઠીઓ પણ પાલખી યાત્રા તથા અંતિમ વિધિમાં જોડાયા હતાં

(1:14 pm IST)