Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

જુનાગઢમાં રાજગોર સમાજના સમુહ લગ્ન યોજાયાઃ પૂ. જેન્તિરામ બાપા અને જ્ઞાતીજનોની ઉપસ્થિતી

જુનાગઢ : રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ દ્વારા સનાતન ધર્મશાળા ખાતે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતીનો ૩ જો સમુહ લગ્ન અને યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ યોજાયો હતો, જેમાં ૭ નવ દંપતિએ પ્રભુતામાં પગલાં માંડયા હતા અને ૩ બટુકોએ યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કયા હતા. પૂ. મુકતાનંદબાપુના આશિર્વાદથી યોજાયેલ આ કાર્યક્રમમાં ધુનડા સતપુરણધામ આશ્રમના સંસ્થાપક પૂ. જેન્તિબાપા ખાસ ઉપસ્થિત રહી સત્સંગ નો લાભ આપેલ અનો નવદંપતિઓને આશિર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે શિક્ષણવિદ ગીજુભાઇ ભરાડ, ધારાસભ્ય ભીખાભાઇ જોષી, યુવક મંડળના મોભી અશોકભાઇ પંડયા તેમજ જયેશભાઇ ભરાડ, કાંતિભાઇ બોરીચાંગર, પત્રકાર રેનિશ મહેતા, જયેશ દવે, ગિજુભાઇ વિકમા મુંબઇથી ધર્મેશભાઇ તેરૈયા, લિંબડીથી રતિભાલ મહેતા, બી.એચ. જોષી તેમજ સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતા, અને કાર્યક્રમને સફળ બનાવવા યુવક મંડળના પ્રમુખ કમલેશ ભરાડ અને સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી (અહેવાલ વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:12 pm IST)