Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

મોરબી અને વાંકાનેરમાં હડકાયા કૂતરા સાતને કરડયા

મોરબી તા. ૧૪ : મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય પંથક ઉપરાંત વાંકાનેરમાં હડકાયા કુતરાનો આતંક જોવા મળ્યો છે અને હડકાયા કુતરા કરડવાના સાત કેસો મોરબીની સીવીલ હોસ્પિટલમાં નોંધાયા છે. મોરબી અને વાંકાનેરમાં સાત લોકોને હડકાયા કુતરા કરડવાથી સિવિલ હોસ્પિટલ ઇન્જેકશન અને સારવાર માટે લઇ આવવામાં આવ્યા હતા. જેમાં મોરબીના નાની વાવડી નજીકના ઓમ શાંતિ પાર્કમાં રહેતા બંસી મયુરભાઈ (ઉ.૭), નંદની મહેશભાઈ (ઉ.૧૧), જૈનિલ સંદીપભાઈ (ઉ.૬) પ્રિન્સ નરેશભાઈ(ઉ.વ.૩) રહે. રાતડીયાની વાડી શનાળારોડ, પ્રિતમ તુલસીભાઈ (ઉ.વ ૨), રહે. વાવડી રોડ તેમજ વાંકાનેરના આણંદપરમાં રહેતા રાજવીર રણજીત ભાઈ (ઉ.વ.૩) અને વાંકાનેરની મહાવીર સોસાયટીમાં રહેતા હરેશ ચંદ્રકાંત શાહ (ઉ.૨૪) એમ સાત હડકાયા કુતરાના શિકાર બન્યા છે તે ઉપરાંત અન્ય ૧૩ વ્યકિતઓને કુતરા કરડવાના કેસો પણ નોંધાયા છે.

(11:34 am IST)