Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

કચ્છમાં નર્મદાનો પુલ તૂટતા ૪ને ઇજા

રાપરના નંદાસર નજીક નવા બનતા બ્રિજમાં દુર્ઘટના

ભુજ તા. ૧૪ : રાપરઙ્ગ તાલુકાના નંદાસર નર્મદા કેનાલ પર ચાલી રહેલા બ્રીજ પર ચાલી રહેલા રિપેરીંગ કામ દરમિયાન બપોરે એક વાગ્યાની આસપાસ નવા બનાવી રહેલા બ્રીજનો માંચડો તુટી પડયો હતો અને ચાર મજુરોને ઇજા થઇ છે. જેમાં બે મજૂરોને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ જવામાં આવ્યા હતા અને બે મજૂરોને સામાન્ય ઈજા પહોંચી હતી છતાં કોન્ટ્રાકટર દ્વારા કે નર્મદા યોજના ના અધિકારી દ્વારા કોઈ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા ના હતા.

થોડા દિવસ અગાઉ આ બ્રિજ પાસે ટ્રક નર્મદા કેનાલમા ખાબકી હતી. આ નર્મદા યોજનાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અવાર નવાર રજૂઆતો કરવામાં આવી હતી કે આ કામગીરીમા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે આ બ્રિજ ના અને નર્મદા કેનાલના કામો તુટતા જોવા મળ્યા છે તો આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે અને આ માટે એક કિલો મીટર નું ડાયવર્ઝન આપવા મા આવ્યું છે તે બ્રીજ નબળા પડી ગયો છે અને બ્રીજમા તિરાડ પડી ગઈ છે અને આ બ્રિજ પણ પડે તેમ છે. આ બ્રિજ પણ વચ્ચેથી નમેલો જોવા મળે છે તો શું રાપર તાલુકામાંથી પસાર થઈ રહેલી નર્મદા યોજનાની કચ્છ બ્રાન્ચ કેનાલના બ્રીજ કોઈનો ભોગ લે તે દિવસો દૂર નથી.

નંદાસર બ્રીજ પર લોખંડની સ્લેબ ગોઠવી દેવામાં આવી હતી અને સિમેન્ટ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે બપોરે એક વાગ્યાની આસપાસ આ બ્રિજ તુટી પડયો હતો અને કામ કરતા મજૂરોને ઇજા થઇ હતી ત્યારે તાત્કાલિક ગંભીર ઇજા પામેલા મજુરોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને જેમા બે મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા ના ચોક્કસ સુત્રોએ જણાવ્યું હતું તો બે મજૂરોને સામાન્ય ઈજા પહોંચી હતી. તેઓ બ્રીજ પાસે આરામ કરતાં હતા પરંતુ નર્મદા યોજનાના અધિકારી કે એજન્સી દ્વારા કોઈ સારવાર અર્થે ખસેડાયા ના હતા..

બ્રિજ ધરાશાયી થયાના અહેવાલો બાદ રાપર ઈન્ચાર્જ પીઆઈ જે. એચ. ગઢવી એ મુલાકાત લીધી હતી અને જાત માહિતી મેળવી હતી. આ બ્રિજ ના બનાવ અંગે હાજર રહેલા બધાં જ મજુરો અને માણસો એ મોઢા સીવી લીધા હતા તો શું આ કેનાલ પરના બ્રિજો કોઈ ના ભોગ લેશે તે ચર્ચા ચાલી રહી છે તો જીલ્લા કલેકટર દ્વારા તપાસ સમિતિ બનાવી તપાસ કરવા માંગ ઉઠી છે.

(11:31 am IST)