Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ભાવનગરમાં રબારી સમાજ દ્વારા રેલી-આવેદન

ભાવનગર તા. ૧૪ :.. ભાવનગર જિલ્લામાં અછતની સ્થિતીને અનુલક્ષીને દરેક ગામમાં ઘાસચારાનું વિતરણ કરવા અને સિહોરમાં કેટલ કેમ્પ શરૂ કરવાની માંગણી સાથે રબારી સમાજ દ્વારા રેલી યોજી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

શહેરના મોતીબાગ ખાતે એકઠા થયેલ માલધારીઓ અને પશુપાલકો રેલી યોજી કલેકટર કચેરીએ પહોંચ્યા હતાં.

આગેવાનો દ્વારા અધિક કલેકટર ઉમેશભાઇ વ્યાસને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

રેલી અને આવેદન પત્ર પાઠવવા અંગે મેહરભાઇ લવતુકાએ માહિતી આપી હતી.

ભાવનગર જિલ્લાના અછતગ્રસ્ત તાલુકાઓમાં પાણી-ઘાસચારો મળી રહે તે માટે તંત્ર દ્વારા યોગ્ય આયોજન સાથે કામગીરી કરવામાં આવી રહી હોવાનું અધિક કલેકટરે જણાવ્યું હતું.

(11:29 am IST)