Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

જામજોધપુરના મહીકામાં સમુહ લગ્નોત્સવ

જામજોધપુર :  આલેશધામ ખોડીયાર માતાજીના મંદીરના લાભાર્થે તેમજ સમુહ લગ્નોત્સવ ખોડીયાર માતાજીના મંદિરના મહંત અરવિંદબાપુ (ડાભી) ના સાનિધ્યમાં યોજાયો હતો. જેમાં ૧૯ દિકરીઓન લગ્ન યોજાયા હતા. કરિયાવર રૂપે વિવિધ પ્રકારની અનેક વસ્તુઓ ભેટ અપાઇ હતી. પ્રભુતામાં પગલાં માંડનાર  નવ દંપતિઓને આશીર્વાદ પાઠવવા ઝવેરીબાપુ હરિયાની (સતાપર), તેમજ ધનૂડા સત પૂરણ ધામ આશ્રમના ભાવેશ શાસ્ત્રી, તેમજ ટપકેશ્વર ના નંદગીરીબાપુ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા, ત્યારબાદ સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં સમુહ લગ્નના દાતાશ્રીઓ, કોળી સમાજના વિવિધ આગેવાનો, તેમજ સંતો, મહંતોનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું. ભવ્ય યજ્ઞોત્સવ પણ રાખવામાં આવેલ હતો, જેમાં વિવિધ ગામોથી ધર્મપ્રેમી લોકો પધાર્યા હતા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. (તસ્વીર-અહેવાલ દર્શન મકવાણા જામજોધપુર)

(11:20 am IST)