Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

જૂનાગઢ : ધ્રાંગધ્રામાં પી.આઇ એન.કે.વ્યાસ દ્વારા ચપ્પલનું વિતરણ

જૂનાગઢ : સુરેન્દ્રનગર ક્રાઇમ બ્રાંચના પી.આઇ અને ધ્રાંગધ્રાનો વધારાનો ચાર્જ સંભાળતા ગુજરાત પોલીસમાં જેમની જાંબાઝ પોલીસ અધિકારી તરીકે નામના છે તેવા પી.આઇ શ્રી એન.કે.વ્યાસ તથા રણજીતસિંહ ચૌહાણ તથા સ્ટાફે આ કાળઝાળ ગરમીમાં જેને પગમાં પહેરવા ચપ્પલ નથી, તેવા ગરીબ વિસ્તારોમાં ફરી ગરીબ બાળકોને જાતે ચપ્પલ પહેરાવ્યા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવવાની સાથે શ્રી વ્યાસ અને તેની ટીમે આ ઉમદા કાર્ય કરી સેલ્યુટ કરવા પાત્ર કામ કર્યુ છે. સાથે સાથે દવાખાને જવા માટે દર્દીઓ પાસે રૂપિયા નહોતા, તેવા દર્દીઓને આર્થિક સહાય પણ કરી અને પોલીસ પ્રજાની સાચી મિત્ર છે તે સાબિત કર્યુ હતુ. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)(૪૫.૪)

(12:18 pm IST)