Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ધોરાજીમાં સ્વામીનારાયણ ભગવાનને ચંદનનો લેપ

 ધોરાજી : કડીયાવાડ બાલધા ચોરા પાસે પ્રસાદીના સ્થાન સમા જુના સ્વામીનારાયણ મંદિર ખાતે સ્વામિનારાયણ ભગવાન -હરિકૃષ્ણ મહારાજ (રાધા કૃષ્ણ) અને ઘનશ્યામ મહારાજ નીમૂર્તિ ને ચંદન ના વાઘા પહેરાવી અલોકિક દર્શન થયા હતા આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી શા. પુરાણી મોહન પ્રસાદ સ્વામી એ જણાવેલ કે ધોરાજી સ્વામિનારાયણ મંદિર ખાતે દરવર્ષે કાળઝાળ ગરમીમાં ચંદન નો લેપ કરી ભગવાન ની મૂર્તિ ને ચંદનના વાઘા એ પણ શ્રીંગાર દ્વારા પહેરાવવામાં આવે છે. સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણ રાધાકૃષ્ણ દેવ- ઘનશ્યામ મહારાજ ની મૂર્તિ ને ચંદન ના વાઘા પહેરાવી અલોૈકિક દર્શન ને ખુલ્લા મુકવામાં આવ્યાં તે તસ્વીરો.(તસ્વીરઃકિશોરભાઇ રાઠોડ, ધોરાજી)

(12:15 pm IST)