Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ભાવનગરમાં કોરોના વિસ્ફોટ: ૧૬૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં નોંધાયેલા કુલ ૮,૨૧૨ કેસો પૈકી ૧,૦૩૭ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર :ભાવનગર જિલ્લામા આજરોજ ૧૬૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૮,૨૧૨ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૪૫ પુરૂષ અને ૩૯ સ્ત્રી મળી કુલ ૮૪ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાના કમળેજ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાનાં ઉંડવી ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના KECL COMPANY ખાતે ૧, ભાવનગર તાલુકાના વેળાવદર(ફોરેસ્ટ) ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ધારડી ગામ ખાતે ૧, મહુવા તાલુકાના ભગુડા ગામ ખાતે ૧, મહુવા તાલુકાના ઘરાઇ ગામ ખાતે ૧, મહુવા તાલુકાના બોરલા ગામ ખાતે ૧, મહુવા તાલુકાના લોંગડી ગામ ખાતે ૧, મહુવા તાલુકાના કુંભણ ગામ ખાતે ૧, મહુવા તાલુકાના દેગવડા ગામ ખાતે ૨, મહુવા તાલુકાના ભાદ્રોડ ગામ ખાતે ૨, વલ્લભીપુર તાલુકાના નવાગામ ગામ ખાતે ૧, મહુવા તાલુકાના બોરડી ગામ ખાતે ૧, મહુવા ખાતે ૨૪, તળાજા તાલુકાના પીથલપુર ગામ ખાતે ૧, મહુવા તાલુકાના ગોરસ ગામ ખાતે ૧, મહુવા તાલુકાના ઓથા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ટાણા ગામ ખાતે ૨, મહુવા તાલુકાના રાજાવદર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના દિહોર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના નાના ઘાણા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ત્રાપજ ગામ ખાતે ૫, તળાજા તાલુકાના બોરડા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના રાજપરા નં.૨ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના મણાર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પીપરલા ગામ ખાતે ૩, તળાજા તાલુકાના સથરા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પાદરગઢ ગામ ખાતે ૨, તળાજા તાલુકાના સાંખડાસર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના બેકડી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ગાધેસર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના કુંઢડા ગામ ખાતે ૨, તળાજા તાલુકાના ઉંચડી ગામ ખાતે ૩, તળાજા તાલુકાના લીલવાવ ગામ ખાતે ૩, પાલીતાણા ખાતે ૨, તળાજા તાલુકાના પીંગળી ગામ ખાતે ૧, સિહોર તાલુકાના મોટા સુરકા ગામ ખાતે ૧, મહુવા તાલુકાના મોટી જાગધાર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના બપાડા ગામ ખાતે ૧ તેમજ ભાવનગર તાલુકાના કોબડી ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૮૧ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૪૪ અને તાલુકાઓમાં ૧૧ કેસ મળી કુલ ૫૫ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૮,૨૧૨ કેસ પૈકી હાલ ૧,૦૩૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા ૭૬ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(8:40 pm IST)