Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

સુરેન્‍દ્રનગરમાં ૨૦ લોકોની આત્મવિલોપનની ચિમકી

સુરેન્‍દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર દબાણો અને બાંધકામ થતું હોવાના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરના નગરપાલિકા વોર્ડ નંબર-2 માં આવેલ સ્વસ્તિક સોસાયટીમાં અરજદારોના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દેરાસરનું બાંધકામ શરૂ થતાં સ્થાનિક રહિશોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રહેણાંક મકાનોની પૂર્વ દિશામાં આવેલ બ્લોક નંબર -11 નો પ્લાન રહેણાંક હેતુ માટે બિનખેતી થયેલ છે તેમ છતાંય કલેકટરની મંજૂરી વગર હેતુ ફેરફાર કરી ગેરકાયદેસર બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. રહેણાંક મકાનની બાજુમાં જ JCB અને હિટાચી મશીન દ્વારા પાયા ખોદવામાં આવતાં રહેણાંક મકાનોને નુકસાન પહોંચી રહ્યું છે.

આ અંગે સ્થાનિક રહીશોએ જિલ્લા કલે કટરને લેખિત રજૂઆત કરી હતી અને આગામી દસ દિવસમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો 20 જેટલા લોકોએ કલેક્ટર કચેરી ખાતે સામુહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

(8:22 pm IST)