Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

જામનગરના લાલપુર રોડ ઉપર બસ-રીક્ષા વચ્ચે અકસ્માતમાં ર ના મોત

જામનગર : તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત વાહનો અને મૃતદેહ નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા -જામનગર)

જામનગર તા. ૧૪ :.. જામનગરનાં લાલપુર રોડ ઉપર ખાનગી બસ અને ખોટો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યકિતના મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભાણવાડ-જામનગર -રાજકોટ રૂટન એકતા ટ્રાવેલ્સની બસ લાલપુર રોડ ઉપરથી પસાર થઇ રહી હતી. ત્યારે ઓટો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યકિતના ઘટના સ્થળે મોત નિપજયા હતાં. અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતાં. અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

(11:43 am IST)