Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

ભાજપે આંદોલન કરવુ હોય તો પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે કરે : સાવરકુંડલા કોંગ્રેસ

સાવરકુંડલા તા.૧૪ : પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ચંદ્રેશભાઇ રવાણીએ જણાવેલ હતુ કે, ભાજપના ઉપવાસ આંદોલન પ્રજાને ગેરમાર્ગે દોરવાનું મહાનાટક છે. કારણ કે ભાજપના આ આંદોલન પ્રજાના હિત માટે નથી. ભાજપવાળાને આંદોલન કરવા હોય તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલ તોતીંગ ભાવ વધારા સામે કરે.

પ્રજાની વેદના મુશ્કેલીઓ અને ચીજવસ્તુઓ મોંઘવારી બાબતે ઉપહાસ કરવા જોઇએ. દિન પ્રતિદિન જીવનજરૂરી વસ્તુઓના ભાવ વધે તેની સામે શાસકપક્ષ ભાજપ કશું જ બોલતી નથી અને તોતીંગ બહુમતી હોવા છતા કોંગ્રેસના ૪૦ સાંસદોને બદનામ કરવા માટે નવા નવા નાટકો કરી સતા સંભાળતા ન આવડતું હોય તે રીતનું કામ ભાજપ કરે છે.

ચંદ્રેશભાઇ રવાણીએ ભાજપના રાજમાં બહેન દિકરી અસલામત નલીયાકાંડ એમના રાજમાં થયેલ. પાટીદાર સમાજ પર અત્યાચાર સહિત બાબતો સામે પણ વિરોધ દર્શાવી ઉપવાસ કરે. પી.એમ સહિત ભાજપના ઉપવાસ કાર્યક્રમ માત્ર ઉપહાસ છે.

દેશની જનતાને ગેરમાર્ગે દોરવા ઉપવાસ નામના નાટકો ફરી શરૂ કર્યા છે. લોકસભાની ચુંટણીમાં ભાજપ હાર ભાળી ગયું છે.

નિરવ મોદી, મેહુલ ચોકસી જેવા લોકો ૬૧ હજાર કરોડો જેવી રકમ લઇ નાસી ગયા છે તે માટે પણ દેશની માફી માંગવા ઉપવાસ કરે તેમ અંતમાં ચંદ્રેશભાઇ રવાણીએ જણાવેલ હતુ.

(11:36 am IST)