Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

ગોંડલમાં વ્યાજખોરોના રંજાડ સામે મહાજન દ્વારા આવેદન પત્ર અપાયું

ગોંડલ : ગીતાનગરમાં રહેતાં હિતેશભાઇ નવલભાઇ રાયચુરાએ વ્યાજખોરોના ત્રાસથી ગળા ફાંસો ખાઇ મોત મીઠું કરી લીધાની ઘટના બાદ લોહાણા સમાજ લાલઘુમ થયો હતો અને ગોંડલ લોહાણા મહાજન, ગોંડલ લોહાણા વિદ્યાર્થી ભવન, રઘુવંશી સેવા મંડળ, રઘુવંશી ક્રેડિટ કો-ઓપરેટીવ બેન્ક, રઘુવંશી સોશ્યલ ગ્રુપ, જલારામ યુવક મંડળ તેમજ વીર યુવા ગ્રુપણ સહિત સમગ્ર લોહાણા જ્ઞાતિજનોએ એકઠા થઇ વિશાળ સંખ્યામાં રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું અને માંગ કરી હતી કે હિતેશભાઇ રાયચુરાના મોતના જવાબદાર આરોપી બન્ને શખ્સોએ કડકમાં કડક સજા થાય અને સમાજમાં ફરી આવા કિસ્સાના બને તેવી અંતમાં માંગ કરી હતી, આવેદન આપવાના કાર્યમાં પ્રહલાદભાઇ પારેખ, કિશોરભાઇ ઉનડકટ, ચિરાગભાઇ સોનપાલ, તેજસભાઇ અઢીયા, વિક્રમભાઇ તન્ના સહિતના આગેવાનો જોડાયા હતાં. આવેદન પત્રની  નકલ મામલતદાર શહેર પોલીસ કલેકટર તેમજ ગાંધીનગર મુખ્યમંત્રીને પણ મોકલવામાં આવી હતી. તસ્વીરમાં આવેદન સ્વીકારતા પ્રાંત અધિકારી  નજરે પડે છે.

(11:34 am IST)