Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

કચ્છના અંજારમાં બુધવારે અખિલ કચ્છ કાપડી વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા સમુહલગ્ન

અંજાર તા. ૧૪ : અંજાર કચ્છમાં શિવાજીનગર દબડા રોડ ખાતે તા. ૧૮ને બુધવારે આયોજીત સમુહલગ્નોત્સવમાં ૧૨ નવદંપતી પ્રભુતામાં પગલા માંડશે. કન્યાઓને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ કરિયાવરરૂપે અર્પણ કરાશે. પૂ. મોરારીબાપુ નવદંપતીને આશિષ આપશે.

આ શુભ પ્રસંગે રાજકોટના સુપ્રસિધ્ધ પ્રવકતા લોકમેળા ફેઇમ કલાકાર, રેડીયો, ટીવી, સાહિત્યકાર, કલાકાર, લોક ફરિયાદના મેનેજીંગ તંત્રી તુલસીદાસ ગોંડલીયા મો. ૯૯૭૯૪ ૬૯૫૯૯ કાર્યક્રમ આપશે.

આ તકે પૂ. સંતશ્રી દેવજીરાજા મુળજીરાજા કાપડી, હાજલ દાદાનો અખાડો, ભારાપર( જીનામ આશ્રમ જૂનાગઢ), પ્રમુખ અ.ક.કા વૈષ્ણવ સાધુ પધારશે. સફળ બનાવવા આયોજન હરેશભાઇ શિવરામભાઇ કાપડી પ્રમુખ અ.ક.કા વૈષ્ણવ સમાજ લગ્ન આયોજન સમિતિ તેમજ દરેક સમિતિના સદસ્યો તેમજ ભકતજનો જહેમત ઉઠાવી રહેલ છે.

(11:33 am IST)