Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

31મી માર્ચ સુધી જામનગરમાં સરકારી મોટા મેળાવડા અને કોન્ફ્રન્સ બંધ :વેકેશનમાં પ્રવાસના આયોજન પણ અટકાવાશે

સેનિટાઈઝર અને માસ્કના સંગ્રહ ઉપર થશે કાર્યવાહી: કલેકટર કન્ટ્રોલ માટે કોઈપણ પગલાં લેશે

જામનગર : કોરોના વાયરસને લઈને તંત્ર સજ્જ થયું છે જામનગરમાં કોરોનાને લઈને કલેકટરની પ્રેસ કોંફરન્સ યોજાઈ હતી જેમાં જાહેર કરાયું હતું કેએપિડેમીક ડિસિસ એકટ 1897ની 1,2,3,કલમ સુધારા સાથે અમલી રહેશે

શહેરી વિસ્તારોમાં કમિશ્નર અને ગ્રામ્ય વિસ્તારોમાં કલેકટર કન્ટ્રોલ માટે કોઈપણ પગલાં લેશે તેમજ  સેનિટાઈઝર અને માસ્કના સંગ્રહ ઉપર કાર્યવાહી થશે
સરકારી મોટા મેળાવડા અને કોંફરન્સ 31 માર્ચ સુધી બંધ રાખવા નિર્ણંય લેવાયો છે તેમજ
વેકેશનમાં શહેરોમાં થતા પ્રવાસના આયોજનોને પણ અટકાવાશે (તસવીર:કિંજલ કારસરીયા,જામનગર )

(6:26 pm IST)