Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

તરઘડીયામાં માનસીક બીમારીથી કંટાળી જયશ્રીબેન પરસાણાનો ફાંસો ખાઇ આપઘાત

પટેલ વૃધ્ધાએ પશુઓને બાંધવા માટેના વાડાનાં એંગલમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો

રાજકોટ તા. ૧૪ :.. તરઘડીયા ગામમાં રહેતા પટેલ વૃધ્ધાએ પોતાના ઘરે પશુઓને બાંધવા માટે વાડામાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ તરઘડીયા ગામમાં રહેતા જયશ્રીબેન છગનભાઇ પરસાણા (ઉ.૬૦) એ પોતાના ગાયો અને ભેંસોને બાંધવા માટેના વાડામાં લોખંડના એંગલમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.

તેના જેઠ જોઇ જતા તેણે પરિવારજનો તથા તલાટી સિધ્ધરાજસિંહને જાણ કરતા તમામ દોડી આવ્યા હતાં. અને ૧૦૮ ને જાણ કરતા ઇએમટી જગદીશભાઇ બાવળીયાએ જોઇ તમારી વૃધ્ધાનું મોત નિપજયુ હોવાનું જાહેર કર્યુ મૃતક જયશ્રીબેનને સંતાનમાં બેપુત્ર અને એક પુત્રી છે. તેણે માનસીક બીમારીથી કંટાળી આ પગલુ ભર્યાનું ખુલ્યું છે.આ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ વી. પી. આહીરે તપાસ આદરી છે.

(12:45 pm IST)