Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

અમરેલીમાં દશનામ ગોસ્વામી સમાજનો સમુહલગ્નોત્સવ-ધર્મસભા યોજાશે

અમરેલી તા.૧૪ : રવિવારે મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ આયોજીત મહાસમુહલગ્નોત્સવ તથા ધર્મસભાનું આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ ધર્મસભામાં ફૂલ રર મહામંડલેશ્વરો ઉપસ્થિત રહેશે જેમાં સમારોહના અધ્યક્ષ હરિગીરીજી મહારાજ  કાશી મહામંત્રી આંતરરાષ્ટ્રીય અખાડા પરિષદ, શ્રીમહંત ઇન્દ્રભારથીબાપુ જુનાગઢ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આચાર્ય મહામંડલેશ્વર પ.પુ. લક્ષ્મીનંદગીરીજી કિન્નર અખાડા, શ્રીમ હામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરીજી મુચકુંદ ગુફા જુનાગઢ, સાધ્વીજ જય અંબાગીરી પંચદશનામ જુના અખાડા અમદાવાદ વગેરે સંતો મહંતોઅ ને કથાકારો આર્શિવચન પાઠવશે. આ મહાસમુહલગ્નોત્સવ પ૯ નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે આ સમુહલગ્નોત્સવ તથા ધર્મસભા કાર્યક્રમમાં મહેન્દ્રગીરી ગોસ્વામી ભીાવનગર અધ્યક્ષ મહામંડળ, મનસુખપરી ઉપાધ્યક્ષ, ધર્મેન્દ્રગીરી ગોસ્વામી પ્રમુખ સૌરાષ્ટ્ર પ્રદેશ ,મહેન્દ્રગીરી ગોસ્વામી રાજકોટ ઉપપ્રમુખ મહામંડળ, કૃષ્ણગીરી ગોસ્વામી લીંબડી પ્રમુખ યુવા પાંખ વગેરેએ સમગ્ર ગુજરાતમાંથી ગોસ્વામી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ સમુહલગ્નોત્સવ તથા ધર્મસભાને સફળ બનાવવા માટે અમીતગીરી ગોસ્વામી સાવરકુંડલા હરેશગીરી ગોસાઇ, અમરેલી ઉપપ્રમુખ સૌરાષ્ટ્ર પ્રદેશ, ગુણવંતપરી લાઠી સંગઠનમંત્રી પ્રકાશગીરી ગોસ્વામી સહમંત્રી, વિશાલ ભારથી ભાવનગર, આશિષગીરી ગોસાઇ લીલીયા, મહેશગીરી ગોસ્વામી ભજનીક ગાવડકા, અર્જુનગીરી સાવરકુંડલા, વિમલગીરી અમરેલી દ્વારા આયોજન કરવામાં આવી રહયું છે.

(1:11 pm IST)