Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

માણાવદરમાં ગણેશ મંદિરેથી સંતપંચ પરમેશ્વર જમાતના સાધુઓની વિદાય

૧ર દિવસના રોકાણની ઐતિહાસીક ઘટનાઃ રોજ ગોલા પૂજન મહાપ્રસાદ યોજાયેલ

 માણાવદર તા. ૧૪ :.. અહીંના ગણેશ મંદિરે શ્રી સંતપંચપરમેશ્વર ઉદાસીન જમાતના દિવ્ય સાધુ સંતોની જમાત આમ તો દર ૧ર વર્ષે એક વખત પધરામણી કરવા આવે તેને ગણેશ ંમંદિરના મહંત આનંદાસબાપુ એ ૧ર દિવસ રોકાણનું નિમંત્રણ આપી ઐતિહાસીક ઘટના ગણાવી છે.

આ ઉદાસીન જમાતના સાધુ સંતો દેશભરમાં સતત પરીભ્રમણ કરી હિન્દુ સંસ્કૃતીના ધર્મ-કર્મનો પ્રચાર કરી જીવંત રાખવાની કામગીરી કરે છે તેઓ ના દર્શન દુર્લભ હોય છે. કેમ કે આ સંતો ખાસ કુંભ મેળા વખતે જ જોવા મળે છે તે ઘર બેઠા માણાવદર તાલુકાની જનતા ને દર્શનનો લાભ મળે તે માટે રોકાણ કરેલ.

આ જમાતના મહંત શ્રી મહેશ્વરદાસજીના હસ્તે અતિ પ્રાચીન રપ૦ વર્ષ જુના શ્રી ચંદ ભગવાનના હસ્તે સિધ્ધ થયેલ. શ્રી ગોલા સાહેબનું પૂજન શ્રી મહંતશ્રી થયેલ તે પૂજનમાં  મહંતશ્રી આનંદાસબાપુ એ કરેલ દરરોજ મહાપ્રસાદ, ભજન-કિર્તન થયેલ તાલુકા વિરની જનતાએ અનેરો લાભ લીધો હતો.

(11:31 am IST)