Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

જુનાગગઢમાં છાત્રોએ માણી સ્ટ્રેસ મેનેજમેન્ટ શિબિર

 જુનાગઢઃ અહીયા વાડો-કાઇ કરાટે ડો એકેડમી ગુજરાત અને વૈદિક પરિવારના સહયોગથી ગુરૂકુલ જ્ઞાનબાગ ખાતે વિદ્યાર્થીઓ માટે સ્ટ્રેસ મેનેજમેન્ટની બે દિવસીય શિબિર યોજાઇ હતી. જેમાં સ્વામી બ્રહ્મસ્વરૂપજી, પ્રિતમ સ્વામી વૈદિક પરિવારના મેનેજીંગ ટ્રસ્ટી મહેન્દ્ર ગાંધી, પ્રભારી કિશનભાઇ, ડ્રિસ્ટીકટ ડાયરેકટર હિરેનભાઇ ખુંટી સહિતનાની ઉપસ્થિતિમાં ૭ ડીગ્રી બ્લેક બેલ્ટ શિહાન અરવિંદ રાણાએ બાળકોને ન ગમતા વિષયમાં રસ કેવી રીતે ઉત્પન્ન કરવો, વિષય અઘરો લાગવો કે સમજમાં ન આવવો અને પરીક્ષા સમયે યાદ ન રહેવા જેવી સમસ્યાઓનું સમાધાન કરી તનાવમુકત રહેવા માટેની વિધીઓનું પ્રશિક્ષણ આપ્યુ હતુ. તે તસ્વીરોમાં દર્શાય છે.

(11:21 am IST)