Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

કેશોદમાં નીલકંઠ મહાદેવ મંદિરે અન્નકૂટ દર્શન

 કેશોદઃ કેશોદના નીલકંઠ મહાદેવ મંદિરે અન્નકૂટ દર્શન નુ આયોજન કરવામાં આવ્યું હતુ અન્નપૂર્ણા વ્રત ઉજવણી નિમિતે અન્નપૂર્ણા માતાજી વ્રત સત્સંગ વાર્તા સાથે એકવીસ દિવસ ઉજવણી કરવામાં આવી હતી અન્નપૂર્ણા વ્રત ઉજવણી નિમિતે અન્નકૂટ દર્શન નુ આયોજન કરવામાં આવેલ કેશોદના નીલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે તાજેતરમાં નીલકંઠ મહાદેવ મંદિરના સાંનિધ્યમાં એકવીસ દિવસ અન્નપૂર્ણા માતાજીના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી જેમાં એકવીસ દિવસ સુધી નીલકંઠ મહાદેવ મંદિરના સાંનિધ્યમાં એકવીસ દિવસના વ્રત દરમિયાન દરરોજ પાંચથી છ કલાક સુધી અન્નપૂર્ણામાં વ્રત વાર્તા સત્સંગનુ આયોજન કરવામાં આવેલ હતું જેનો ભાવિક ભકતો એ લાભ લીધો હતો તેમજ અન્નપૂર્ણા વ્રત પૂર્ણાહુતિ નિમિતે નીલકંઠ મહાદેવ મંદિરે અન્નકૂટ દર્શન યોજાયા હતાં અન્નકૂટ દર્શન તથા આરતીનો ભાવિક ભકતો એ લાભ લીધો હતો. (તસ્વીર - અહેવાલ : કમલેશ જોષી -કેશોદ)

(1:27 pm IST)