Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

સુરેન્દ્રનગર ૨૬ એનસીસી બટાલીયન દ્વારા સ્વચ્છતા અભિયાનની ઉજવણી

વઢવાણ તા.૧૩ :  સુરેન્દ્રનગર ૨૬ એનસીસી બટાલીયન દ્વારા ૧ થી ૧૪ ડિસેમ્બર સુધી સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સુરેન્દ્રનગર શહેર ઉપરાંત તમામ તાલુકા મથકો પર પણ સ્મારકો, બગીચાઓ સહિતના જાહેર સ્થળોની સફાઇ કરી ોકો માં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા રેલી ના પણ આયોજન કરાયું હતું.

સુરેન્દ્રનગર ૨૬ એનસીસી બટાલીયન માં જીલ્લાની ૮ કોલેજ અને ૨૧ શાળાના ૨ હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયેલા છે. ૧ થી ૧૪ ડિસેમ્બર સુધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત એન સી સી કેડેટસ દ્વારા સુરેન્દ્રનગર, વઢવાણ, સહિત જીલ્લાના તાલુકાના મથકો પર સફાઇ અભિયાન કરાયું હતું. પ્લાસ્ટીકથી રક્ષા, સ્વચ્છતા અંગે વાર્તાલાપ, શ્રમદાન સહીતના કાર્યક્રમ અંતર્ગત સ્મારકો, જાહેર બગીચાઓની સફાઇ કરવામાં આવી હતી. તેમજ કેડેટ દ્વારા આવા સ્થળો પરથી દરરોજ અંદાજે ૧૫ કિલો  પ્લાસ્ટીકનો કચરો એકઠી કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. અને લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા વિધાર્થીઓ દ્વારા રેલીનું પણ આયોજન કરાયું હતું.

(12:01 pm IST)