Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ભાલકામાં દવાવાળુ પાણી ભુલથી પી જતાં ૧૫ વર્ષની કાજલનું મોત

રાજકોટ તા. ૧૩: સોમનાથ વેરાવળના ભાલકા તિર્થમાં રહેતી કાજલ પુંજાભાઇ વાઘેલા (ઉ.વ.૧૫) નામની દેવીપૂજક બાળા ભુલથી ઝેરી દવા ભેળવેલુ પાણી પી જતાં મોત નિપજ્યું છેભાલકા રહેતી કાજલ તા.૨ના રોજ બકરા ચારીને આવી પછી વાડીમાં પાણીનો હાંડો ભર્યો હોઇ તેમાંથી પાણી પી જતાં ઉલ્ટીઓ થવા માંડી હતી. એ પછી તેનો ભાઇ રવિ વાડીમાં કામ કરતો હોઇ તેણે દોટ મુકી હતી અને બહેનને તાકીદે સારવાર માટે હોસ્પિટલે ખસેડી હતી. રવિએ વાડીમાં દવા છંાટવા માટે હાંડાના પાણીમાં દવા ભેળવી હતી. તેનાથી કાજલ અજાણ હોઇ આ પાણી પી ગઇ હતી.વેરાવળ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવ્યા બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી ગઇકાલે સિવિલમાં અને સિવિલથી ફરી વેરાવળની હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જ્યાં આજે સવારે દમ તોડી દેતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. કાજલ એક ભાઇથી નાની હતી.

(11:56 am IST)