Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

મોરબીમાં વસતા શરણાર્થીઓએ આતશબાજી કરી નાગરિકતા સંશોધન બીલને આવકાર્યું

નહેરુ ગેઇટ ચોક પાસે આતશબાજી કરીને તેમજ મો મીઠા કરાવીને ઉજવણી કરાઈ

મોરબીમાં વસતા શરણાર્થીઓ દ્વારા સરકારના નાગરિકતા સંશોધન બીલને આવકારવામાં આવ્યું છે મોરબીમાં આતશબાજી કરીને તેમજ મો મીઠા કરાવીને ઉજવણી કરાઈ હતી

મોરબી પંથકમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ વસે છે અને સરકાર દ્વારા નાગરિકતા સંશોધન બીલ લાવીને તેને લોકસભા તેમજ રાજ્યસભામાંથી મંજુર કરાવ્યું છે જે બીલ પાસ થતા શરણાર્થીઓને નાગરિકતા મેળવવામાં સરળતા રહેશે જેથી ખુશીનો માહોલ સર્જાયો છે

આ ખુશી વ્યક્ત કરવા માટે મોરબીમાં વસતા પાકિસ્તાનથી આવીને વસેલા શરણાર્થીઓ દ્વારા નહેરુ ગેઇટ ચોકમાં આતશ બાજી કરવામાં આવી હતી તેમજ મો મીઠા કરાવીને ઉજવણી કરાઈ હતી

(1:14 am IST)